સરકી જાયે પલ…કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !
નહીં વર્ષામાં પૂર,નહીં ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિ:સગની એને કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !
છલક છલક છલકાયછતાં યે કદી શકી નવ ઢળી,
કોઈને મળી વૃન્દાવનમાં,વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ !
સરકી જાયે પલ…કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !
-મણિલાલ દેસાઈ
No comments:
Post a Comment